Saturday, April 20, 2024

બીજી સ્વદેશી રસી : Biological-Eની કોરોના રસી માટે કેન્દ્રએ 30 કરોડ ડોઝ બુક કરાવ્યા, એડવાન્સ એગ્રીમેન્ટ હેઠળ 1500 કરોડ રૂપિયા પણ ચૂકવ્યા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

દેશમાં ઉત્પાદિત વધુ એક કોરોના રસી આગામી કેટલાક મહિનામાં આવશે. આ માટે કેન્દ્રએ 30 કરોડ ડોઝ બુક કરાવ્યા છે અને એડવાન્સ એગ્રીમેન્ટ હેઠળ 1500 કરોડ રૂપિયા પણ ચૂકવ્યા છે. હૈદરાબાદની વેક્સિન બનાવતી કંપની બાયોલોજિકલ-ઇ (Biological-E) આ વર્ષે ઓગસ્ટ-ડિસેમ્બર સુધીમાં વેક્સિન સપ્લિમેન્ટ્સ (ડોઝ) પ્રદાન કરશે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર દ્વારા આ માટે બાયોલોજિકલ-ઇને 1,500 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ભારત બાયોટેકની કોવેક્સિન (COVAXIN)પછીની આ બીજી સ્વદેશી રસી છે.

ત્રીજું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે

બાયોલોજિકલ-ઇ ની રસીનું ક્લિનિકલ પરીક્ષણનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. પ્રથમ અને બીજી ટ્રાયલ દરમિયાન સકારાત્મક પરિણામો આવ્યા હતા. આરબીડી પ્રોટીન સબ-યુનિટ રસી તરીકે વિકસિત આ રસી આગામી કેટલાક મહિનામાં ઉપયોગ માટે ઉપલબ્ધ થશે. કોવિડ-19 માટે વેક્સીન ઍડ્મિનિસ્ટ્રેશન હેઠળ કામ કરતા નેશનલ એક્સપર્ટ્સના સમૂહ (National Expert Group on Vaccine Administration for COVID-19, NEGVAC) દ્વારા સંપૂર્ણ તપાસ બાદ બાયોલોજિકલ-ઇની કોરોના રસી માટેની દરખાસ્તને મંજૂરી માટે મોકલવામાં આવી છે. જણાવી દઈએ કે આ રસીને ભારત સરકારે પણ ટેકો આપ્યો છે.

મંત્રાલય તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ પગલું ભારત સરકારના મિશન કોવિડ સિક્યોરિટી- કોવિડ-19 વેક્સિન ડેવલપમેન્ટ મિશન હેઠળ લેવામાં આવ્યું છે. આ મિશન કોવિડ 19 રસી ને આગળ વધારવા માટે શરૂ કરવામાં આવ્યું હતું જે સ્વનિર્ભર ભારત 3.0 હેઠળ લેવામાં આવ્યું છે. હાલ દેશમાં કોરોનાની ત્રણ રસીઓ છે. તેમાં પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન અને રશિયાની સ્પુતનિક વી સામેલ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીનો કુલ 22,10,43,693 ડોઝ આપવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 1,34,154 નવા કેસ નોંધાયા હતા અને 2,887 લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ સંક્ર્મણ વ્યક્તિઓની કુલ સંખ્યા 2,84,41,986 છે અને કુલ મૃત્યુની સંખ્યા વધીને 3,37,989 થઈ ગઈ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર