નિર્માતાઓએ કલર્સ ટીવી રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ ની તૈયારી શરૂ કરી દીધી છે. રોહિત શેટ્ટી શોની 11 મી સિઝન હોસ્ટ કરશે. બોલીવુડ જગતના અહેવાલ મુજબ રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ સીઝન 11 માટે અબુધાબીમાં શૂટિંગ કરવાની યોજના બનાવી રહી છે. કોવિડ -19 મહામારીમાં મેકર્સને અબુ ધાબી યોગ્ય સ્થાન લાગી રહ્યું છે. અહેવાલ મુજબ, શો સાથે સંકળાયેલા સૂત્રોએ મીડિયાને જણાવ્યું હતું કે, ‘નિર્માતાઓએ અબુધાબીને શૂટિંગ માટે ફાઇનલ કર્યું નથી, પરંતુ અહીં 80 ટકા શો શૂટ થવાની સંભાવના છે.’ જો બધુ બરાબર થઈ જાય, તો આખી ટીમ આવતા મહિનાની શરૂઆતમાં અબુધાબી જવા રવાના થશે. આ શોનું શૂટિંગ આગામી મહિનામાં 15 એપ્રિલથી 25 મે સુધી ચાલશે. ‘ખતરો કે ખિલાડી’ 11 માટે ટીવી અને બોલિવૂડના કલાકારો સાથે સતત વાત કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર વરૂણ સૂદ, અર્જુન બિજલાની અને એજાઝ ખાને આ શોનો ભાગ બનવાની હા પાડી છે. પરંતુ બાકીના સ્પર્ધકો સાથે વાતચીત હજી ચાલુ છે. તમને જણાવી દઈએ કે ‘ખતરો કે ખિલાડી’ની છેલ્લી સીઝનનું શૂટિંગ બલ્ગેરિયામાં થયું હતું. આ સીઝન એકદમ રસપ્રદ રહી હતી પણ કોરોના વાયરસને કારણે આ શોને વચ્ચે જ રોકવામાં આવ્યો હતો અને આ શોમાં કરિશ્મા તન્નાને વિજેતા બનાવવામાં આવી હતી. આ શોમાં રોહિત શેટ્ટીએ તમામ સ્પર્ધકોને ખતરનાક ટાસ્ક આપીને તેમના હોશ ઉડાવી દીધા હતા અને આ વખતે પણ તેઓ શોમાં ભાગ લેનારાઓને એકથી એક ખતરનાક ટાસ્ક આપીને દરેકના હોંશ ઉડાવવા તૈયાર છે. જણાવી દઈએ કે આ શો વર્ષ 2008 માં શરૂ થયો હતો અને આ શોની પહેલી સીઝન બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે હોસ્ટ કરી હતી.
‘ખતરો કે ખિલાડી’ સીઝન 11 માટે કંટેસ્ટેન્ટ થયા ફાઇનલ, આ શોનું શૂટિંગ આ અદભૂત સ્થાન પર કરવામાં આવશે.
વધુ જુઓ
સુશાંત સિંહ રાજપૂતે 2019માં અચાનક તમામ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી, જાણો તેની પાછળનું કારણ.
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને એક વર્ષ પૂર્ણ થવામાં માત્ર ૪ દિવસ બાકી છે અને આ કેસની તપાસ હજી ચાલુ છે. સુશાંતે ગયા વર્ષે 14 જૂન, 2020ના રોજ વિશ્વને વિદાય આપી હતી. આટલા સમય પછી પણ તેના ચાહકોને વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ લાગી રહ્યો છે કે તે હવે...
કેટરીના કૈફ અને વિકી કૌશલ રિલેશનશિપમાં છે ? આ વાતની પુષ્ટિ આ અભિનેતાએ આપી.
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલ વચ્ચે ચાલી રહેલ પ્રેમની ચર્ચાઓ છેલ્લા ઘણા મહિનાઓથી થઇ રહી છે, જોકે બંને વચ્ચેના સંબંધોની પુષ્ટિ થઈ નથી. કેટરિના કે વિકી કોઈ પણ તરફથી પણ આની હજુ કંઇ પણ પુષ્ટિ થઈ નથી. પરંતુ હવે એક ફિલ્મ અભિનેતાએ બંને વચ્ચેના સંબંધની પુષ્ટિ કરી...
Netflix પર ઓગસ્ટમાં ‘ધમાકા’ કરી શકે છે કાર્તિક આર્યન, જાણો સંપૂર્ણ વિગતો.
બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન હાલ પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કાર્તિકના હાથમાંથી કેટલાક મોટા પ્રોજેક્ટ છૂટી ગયા છે પરંતુ તેના હાથમાં હજી પણ કેટલીક ફિલ્મો છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મોમાંથી એક ફિલ્મ છે રામ માધવાનીની 'ધમાકા'. 'ધમાકા' ઘણા...