Monday, May 29, 2023

વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ…

spot_imgspot_imgspot_imgspot_img
spot_img
spot_img

વાંકાનેર તાલુકા પંથકમાંથી એક સગીરાનું લગ્નની લાલચે એક શખ્સ અપરહણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે. જે ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પંથકમાં રહેતા અને સિરામિક કારખાનામાં મજુરી કામ કરતા એક પરિવારની સગીરાને આરોપી પ્રેમી માનજી ભાંભર લલચાવી-ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાવી છે. જે બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે અપહરણનો ગુનો નોંધી આ બનાવની વધુ તપાસ વાંકાનેર સી.પી.આઈ એચ. એન. રાઠોડ ચલાવી રહ્યા છે…

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર