Sunday, May 5, 2024

2-ડીજી: ડીઆરડીઓની આ દવા ફેફસાના ચેપને મટાડવામાં મદદ કરે છે,ત્રણ દિવસમાં સ્વસ્થ થવા લાગે છે દર્દી.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ફેબ્રુઆરીથી ભારતમાં વાયરસની બીજી લહેરમાં ચેપગ્રસ્ત લોકોની સાથે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. દરમિયાન શનિવારે કોરોના ચેપગ્રસ્ત લોકો માટે ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. ડ્રગ્સ કન્ટ્રોલરે કટોકટીના ઉપયોગ માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) દ્વારા ઉત્પાદિત કોરોના દવાને મંજૂરી આપી છે. પરીક્ષણોમાં નિષ્ણાતોએ આ દવાના ઉપયોગના સફળ પરિણામો જોયા છે. ચાલો આપણે તેના વિશે વિગતવાર જાણીએ.

આ દવા પાવડરના રૂપમાં પેકેટમાં આવે છે, તેને પાણીમાં ઓગાળીને તેનું સેવન કરવું પડે છે. આ દવા ડીઆરડીઓની નામાંકિત લેબોરેટરી આઇએનએમએએસ દ્વારા હૈદરાબાદની ડો. રેડ્ડી લેબોરેટરીના સહયોગથી વિકસાવવામાં આવી છે. આ અંગે જારી કરાયેલા નિવેદન અનુસાર ગયા વર્ષની શરૂઆતમાં કોરોનાનો રોગચાળો શરૂ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી આ માટેની તૈયારી કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ડીઆરડીઓએ આ દવા પર કામ કરવાનું શરૂ કર્યું હતું. કટોકટીના સમયે વરદાન ગણાતી આ દવા તૈયાર કરવા પાછળ ત્રણ વૈજ્ઞાનિકોનો હાથ છે. આ છે ડૉ. સુધીર ચાંદના, ડો. અનંત નારાયણ ભટ્ટ અને ડો. અનિલ મિશ્રા. વરિષ્ઠ વૈજ્ઞાનિકો ડો.સુધીર ચંદના અને ડો.અનંત ભટ્ટે જણાવ્યું છે કે 2-ડીજી દવા કોરોનાના દર્દીઓ માટે સંપૂર્ણપણે સલામત અને અસરકારક છે. ચાંદનાએ જણાવ્યું હતું કે, અમારા બે તબક્કાના સંશોધનમાં અમને જાણવા મળ્યું છે કે જો સામાન્ય દવાઓ સાથે દર્દીઓને 2-ડીજી દવાઓ આપવામાં આવશે તો દર્દીને આ દવાનો 30 ટકા વધુ લાભ મળશે. આની મદદથી કોરોનાના દર્દીઓ બેથી ત્રણ દિવસમાં સાજા થવા લાગે છે. આ દવા કોરોના વાયરસના સંક્રમણથી નબળા પડેલા ફેફસાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમણે કહ્યું હતું કે, “આ દવાનું ઉત્પાદન પણ શરૂ કરવામાં આવ્યું છે અને તેને દરેક રાજ્યને સપ્લાય કરવામાં આવી શકે છે.

પરીક્ષણોમાં વધુ સારા પરિણામો જોવા મળ્યા.
દવાના પરીક્ષણોના ત્રીજા તબક્કામાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું હતું કે તેનો ઉપયોગ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો કરવામાં ખૂબ અસરકારક હોઈ શકે છે. તે ગંભીર દર્દીઓની તબીબી ઓક્સિજન પર નિર્ભરતા ઘટાડવામાં પણ મદદરૂપ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોગચાળા સામે તૈયારીઓ કરવાની હાકલ કરી હતી, ત્યારે ડીઆરડીઓએ એપ્રિલ 2020માં આ દવા વિકસાવવાની પહેલ શરૂ કરી હતી.

દવા વાયરસને વધતા અટકાવે છે
ઇન્માસે હૈદરાબાદ સ્થિત સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી (સીસીએમબી)ની મદદથી આ પ્રયોગની શરૂઆત કરી હતી. નિષ્ણાતોએ શોધી કાઢ્યું કે આ દવા સાર્સ-સીઓવી-2 વાયરસ સામે અસરકારક કાર્ય સાથે શરીરમાં વાયરસને વધતા અટકાવવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર