ઈંગ્લેન્ડ સામેની પાંચ ટી -20 મેચની શ્રેણીમાં ભારતીય ટીમે જોરદાર વાપસી કરી છે, પ્રથમ મેચ હાર્યા બાદ ટીમે બીજી મેચમાં 7 વિકેટથી વિજય નોંધાવ્યો હતો. શ્રેણીમાં બરાબરી મેળવ્યા બાદ હવે ટીમ ત્રીજી ટી 20 માં જીત હાંસલ કરવા માંગશે. આ મેચમાં ઉતરતા પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની સામે પ્લેઇંગ ઇલેવન અંગે મુશ્કેલી ઉભી થઈ છે. ટીમ ઇન્ડિયા પ્રથમ બે મેચમાં નિયમિત ઓપનર રોહિત શર્મા વિના ઉતરી હતી પરંતુ હવે કેપ્ટન તેની વાપસી માટે મુશ્કેલીમાં મુકાયો છે. પ્રથમ મેચમાં ટોસ દરમિયાન તેણે કહ્યું હતું કે રોહિતને બે મેચમાં આરામ આપવામાં આવ્યો છે. આનો અર્થ એ કે તે ત્રીજી મેચમાં રમશે. પ્રથમ મેચમાં શિખર ધવનને કેએલ રાહુલ સાથે ઓપનિંગમાં મોકલવામાં આવ્યો હતો જ્યારે બીજી મેચમાં ધવનની જગ્યાએ ઇશાન કિશનને લેવામાં આવ્યો હતો. ઈશાને તેની પ્રથમ મેચમાં જ્વલંત અર્ધસદી ફટકારી હતી અને કેપ્ટનને આનંદની સાથે ચિંતામાં મૂકી દીધા.કે.એલ.રાહુલને ટી 20 વર્લ્ડ કપના ઓપનર તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે, આવી સ્થિતિમાં તેને બહાર મુકવો એ યોગ્ય નથી. ઇશાનના સરાહનીય પ્રદર્શન બાદ તેને બહાર મૂકવો એ અન્યાય થશે. બીજી તરફ, રોહિત ટીમનો વાઇસ કેપ્ટન છે અને તે પ્લેઇંગમાં સમાવિષ્ટ ન થાય તો તેના પદ માટે આ વાત યોગ્ય બનશે નહિ. ઈજાના કારણે રોહિત વનડે અને ટી 20 થી બહાર થઈ ગયો હતો. તે શ્રેણીની પ્રથમ બે ટેસ્ટમાં પણ ટીમનો ભાગ ન હતો. ઇંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ અને ઓસ્ટ્રેલિયાની બે ટેસ્ટ સહિત ફક્ત 6 મેચ છે. આવી સ્થિતિમાં, તેને આરામ આપવો તે ખૂબ જ વિચારવા જેવી વાત છે કારણ કે તે ઈજા પછી પરત ટીમમાં આવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
ત્રીજી ટી 20 પહેલા વિરાટ કોહલીને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે, લેવો પડશે આ કડક નિર્ણય.
વધુ જુઓ
BCCI એ કરી જાહેરાત,19 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે IPL, આ દિવસે રમાશે ફાઇનલ મુકાબલો
ભારતમાં ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની (બીસીસીઆઈ) બહુચર્ચિત ટી-20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની બાકીની મેચો અંગે ઘણી વાતો થઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ટુર્નામેન્ટની બાકીની 31 મેચો અંગે ઘણું કહેવામાં આવ્યું છે પરંતુ હવે બોર્ડના વાઇસ ચેરમેને નિવેદન આપીને તેનો અંત લાવી દીધો છે. રાજીવ શુક્લાએ સ્પષ્ટ કરી...
ભારતીય બેટ્સમેનને સદી ફટકારવા બદલ મળે છે લાખો રૂપિયા, યુવરાજ સિંહે એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા ત્યારે BCCI એ તેને આટલું ઇનામ આપ્યું હતું જાણીને તમને પણ થશે આશ્ચર્ય.
દરેકને ખબર છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ તેના પુરુષ ખેલાડીઓ પર પૈસા લૂંટાવે છે. દરેક ખેલાડીને વાર્ષિક કોન્ટ્રાક્ટ તરીકે 7-7 કરોડ રૂપિયા મળે છે, તેમજ મેચ ફી અને અન્ય બોનસ અલગથી મળે છે. જો કોઈ બેટ્સમેન સદી ફટકારે અથવા બેવડી સદી ફટકારે અથવા બોલર પાંચ...
શ્રીલંકા પ્રવાસ માટે જનારી ટીમની પસંદગી, આ ખેલાડીને મળી શકે છે ટીમની કેપ્ટન્સી, જાણો ટીમનું ટૂર શેડ્યૂલ.
ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને શ્રીલંકાનો પ્રવાસ ખેડવાની છે. ટીમ ઇન્ડિયા આ પ્રવાસમાં 3 વન ડે અને ટી-20 મેચ રમવાની છે.ટીમનું ટૂર શેડ્યૂલ બહાર આવ્યું છે. ભારતીય ટીમના પ્રમુખ ખેલાડીઓ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જેમાં કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્માનો સમાવેશ થાય છે. બંને ફોર્મેટ માટેની...