Tuesday, March 19, 2024

ભોજપુરી સુપરસ્ટાર ખેસારીલાલ યાદવ આરોપથી થયો પરેશાન કહ્યું- ‘કોઈને એટલો ત્રાસ ન આપો કે તેઓ આત્મહત્યા કરે’

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ભોજપુરી સુપરસ્ટાર ખેસારીલાલ યાદવને આ દિવસોમાં કેટલાક આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં જ ભોજપુરી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી કાજલ રાઘવનીએ અભિનેતા પર કેટલાક આક્ષેપો કર્યા છે. અભિનેત્રીએ આક્ષેપ કર્યો છે કે ખેસારીના કહેવા પ્રમાણે તેની સાથે લોકો દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને તેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહયા છે. કાજલના આરોપો બાદ ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ દરમિયાન, ખેસારીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કાજલના આક્ષેપોનો જવાબ આપી રહ્યો છે. અભિનેતાનું કહેવું છે કે લોકો તેમને ભોજપુરીના સુશાંત સિંહ રાજપૂત બનાવવા માટેનું વલણ ધરાવે છે, પરંતુ તે એટલો નબળો નથી. અભિનેતાએ તાજેતરમાં તેના ફેસબુક પર લાઈવ થઇને કહ્યું હતું કે ‘મને લાગે છે કે જેટલો સપોર્ટ સુશાંતને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી મળ્યો એટલો જ મને ભોજપુરી ઇન્ડસ્ટ્રી પ્રેમ દેવામાં લાગી ગઈ છે. પરંતુ હું તેવો નબળ નથી, આજકાલ મારું નામ કોરોના પોઝિટિવ જેવું થઈ ગયું છે, જો લોકો આકસ્મિક રીતે મારું નામ ક્યાંક લેતા હોય તો લોકો મુશ્કેલીમાં મુકાય છે. પણ વાંધો નહીં, હું સુશાંતના ગામનો છું, પણ હું નબળો નથી ‘.ભોજપુરી ઇન્ડસ્ટ્રીના લોકો મારા વિશે નથી વિચારતા પરંતુ જ્યારથી હું આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો છું ત્યારથી હું બધાને કાંટાની જેમ ખૂંચુ છું. કારણ કે મારા ગીતો બધી જગ્યાએ વાગે છે, મારી મૂવીઝ પણ ચાલે છે. પણ વાંધો નહીં, તમે મને સુશાંત તરફ લઇ જાવ, પણ હું એવું કંઈ જ નહીં કરું. પરંતુ કોઈને એટલો ત્રાસ ન આપો કે તેઓ આત્મહત્યા કરે. જેવું બોલિવૂડ ઇન્ડસ્ટ્રીએ સુશાંત સિંહ રાજપૂત સાથે કર્યું, તેવું ભોજપુરી ઇન્ડસ્ટ્રી ખેસારી લાલ યાદવ સાથે કરી રહી છે.’

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર