ભારત તરફથી કોરોના રસીના ડોઝ બ્રાઝિલ મોકલવામાં આવ્યા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો કોરોના સામેની લડતમાં ભારતના આ યોગદાનથી ખૂબ જ ખુશ થયા. તેમણે હનુમાન જીનો ફોટો ટ્વીટ કરીને ભારતનો આભાર માન્યો. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો હતો. સૂત્રોના જ્ણાવયા અનુસાર બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ કહ્યું કે,’ નમસ્તે નરેન્દ્ર મોદી. વૈશ્વિક અવરોધને દૂર કરવાના પ્રયત્નોમાં બ્રાઝિલ આજે ભારતનો મોટો ભાગીદાર બનીને ખૂબ જ સન્માન અનુભવે છે. બ્રાઝિલને કોરોના રસી તરીકે મદદ કરવા બદલ ખૂબ ખૂબ આભાર.’ તેના જવાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, “મહામારી કોવિડ -19 સામેની લડતમાં બ્રાઝિલનો વિશ્વસનીય ભાગીદાર બનવું એ બહુમાનની વાત છે. અમે સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રે આમરો સહયોગ વધુ મજબૂત બનાવીશું.”
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)