પ્રશંસનીય: વિરાટ-અનુષ્કાએ જીત્યું સૌનું દિલ, SMA પીડિત બાળકની દવા માટે 16 કરોડ રૂપિયા એકત્ર કરવામાં મદદ કરી. જાણો આ SMA બિમારી વિશે.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે સાથે મળીને 16 કરોડ રૂપિયા એકત્ર કરવામાં મદદ કરી છે, જેનાથી નિર્દોષ બાળકનો જીવ બચી ગયો છે. વાસ્તવમાં અયાંશ ગુપ્તા નામના બાળકને SMA (સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી) નામનો રોગ હતો.અયાંશને આ રોગની સારવાર માટે લગભગ ૧૬ કરોડ રૂપિયાની ખૂબ મોંઘી દવાની જરૂર હતી. અયાંશના માતાપિતાએ સારવાર માટે ભંડોળ એકત્ર કરવા માટે ‘AyaanshFightsSMA’ નામનું ટ્વિટર એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટમાં વિરાટ અને અનુષ્કાનો આભાર માનવામાં આવ્યો હતો. AyaanshFightsSMA દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે,”એક ચાહક તરીકે અમે તમને ખૂબ પ્રેમ કર્યો છે. પરંતુ અયાંશ અને આ અભિયાન માટે તમે જે કર્યું તે અપેક્ષાઓથી પર હતું. તમે છગ્ગા સાથે જીવનની મેચ જીતવામાં અમારી મદદ કરી છે. અમે તમારા આ અહેસાન માટે હંમેશા ઋણી રહીશું.’

શું હોય છે આ SMA બીમારી ?

તમને જણાવી દઈએ કે SMA (સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી) એક આનુવંશિક રોગ છે. આ રોગ કરોડરજ્જુના મોટર ચેતા કોષોને અસર કરે છે, જેનાથી શરીરની તાકાત દૂર થાય છે. આ રોગથી પીડાતી વ્યક્તિને ચાલવાની, વાત કરવાની, ખાવાની અને ધીરે ધીરે શ્વાસ લેવાની પણ તકલીફ થાય છે સામાન્ય રીતે બાળકોમાં SMA ની ટાઇપ-1 નો રોગ જોવા મળે છે. આ પ્રકારના રોગની સારવાર માટે અમેરિકન વૈજ્ઞાનિકો દ્વારા ઇન્જેક્શનની શોધ કરવામાં આવી હતી. જેની કિંમત લગભગ 16 કરોડ રૂપિયા છે. આ ઇન્જેક્શનથી આ રોગથી થતા નુકસાનને સંપૂર્ણ મટાડી શકાતું નથી, પરંતુ અમુક અંશે બાળક ચાલવા લાયક બની જાય છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ કોરોના સામે લડવા અને લોકોને મદદ કરવા આગળ આવ્યા હતા. વિરાટે અનુષ્કા સાથે મળીને 11 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા, જેમાંથી વિરાટ અને અને અનુષ્કાએ પોતે 2 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. આ રકમનો ઉપયોગ ઓક્સિજન અને અન્ય તબીબી રીતે કામ કરતી સેવાઓ માટે કરવામાં આવ્યો છે. વિરાટ ઉપરાંત બીજા ઘણા ક્રિકેટરોએ પણ કોરોના વાયરસ સામે લડવામાં ફાળો આપ્યો છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img