Saturday, April 20, 2024

COVID-19 Cases in India : સતત ત્રીજા દિવસે 16 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ -19 ચેપના કુલ 16,488 નવા કેસ નોંધાયા છે, જ્યારે 113 ચેપગ્રસ્ત લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત, ચેપમાંથી સાજા થનારા લોકોની સંખ્યા 12,771 છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે સવારે આઠ વાગ્યે આ આંકડો જાહેર કર્યો છે. મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કુલ ચેપ 1,10,79,979 પર પહોંચી ગયો છે. દેશમાં સંક્રમણમાંથી રિકવર થનારા લોકોની કુલ સંખ્યા 1,07,63,451 છે અને 1,56,938 ચેપગ્રસ્ત લોકો અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે. મંત્રાલય અનુસાર દેશમાં હાલમાં 1,59,590 સક્રિય કેસ છે. આ વર્ષે 16 જાન્યુઆરીએ રસીકરણ શરૂ થયું હતું અને અત્યાર સુધીમાં કુલ 1,42,42,547 લોકોને રસી ડોઝ આપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અનુસાર, ગઈકાલ સુધી ભારતમાં કોરોના વાયરસના કુલ 21,54,35,383 નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેમાં શુક્રવારે 7,73,918 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

દેશમાં ચેપગ્રસ્ત લોકોનો રિકવરી રેટ 97.14 ટકા છે અને મૃત્યુ દર 1.42 ટકા છે. ભારતમાં ચેપનો દર 7 ઓગસ્ટના રોજ 20 લાખ, 23 ઓગસ્ટના રોજ 30 લાખ, 5 સપ્ટેમ્બરના રોજ 40 લાખ અને 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખને વટાવી ગયો છે. 28 સપ્ટેમ્બરે ચેપના આંકડા 60 લાખને, 11 ઓક્ટોબરે 70 લાખને પાર કરી ગયા, 29 ઓક્ટોબરે 80 લાખને પાર જયારે 20 નવેમ્બરએ 90 લાખને પાર અને 19 ડિસેમ્બરના રોજ આ આંકડો 1 કરોડને પાર પહોંચી ગયો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર