સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા અંગે સુનાવણી 11 જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે. અદાલતે વકીલ વતી ફાઇલ કરેલી અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે અમે ખેડૂતોની સ્થિતિ સમજી રહ્યા છીએ. આ અરજીમાં વકીલે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કાયદાઓને નાબૂદ કરવાની માંગ કરી છે. ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂત અને સરકાર વચ્ચેની વાટાઘાટો આજ સુધી નિરર્થક રહી છે. ખેડૂત આંદોલનનો બુધવારે 42મો દિવસ છે. આ અંગે સુપ્રીમ કોર્ટે બુધવારે ચિંતા વ્યક્ત કરી છે. જો કે, સરકારને આશા છે કે આ આંદોલન ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. આ અંગે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અમે વાત કરી રહ્યા છીએ. સાથે જ એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું કે અમને આશા છે કે બંને પક્ષો કોઈ એક મુદ્દે સહમત થશે. આ અંગે સીજેઆઈ એસ.એ.બોબડેએ કહ્યું હતું કે અમે પરિસ્થિતિથી વાકેફ છીએ અને વાતચીત આગળ વધે તેવું ઇચ્છીએ છીએ. અમે પરિસ્થિતિને સંપૂર્ણ રીતે જોઈ રહ્યા છીએ. સિંધુ બોર્ડર પર ખેડૂતોએ કહ્યું હતું કે જો સરકાર કૃષિ કાયદાને પાછા નહીં લે તો તેઓ દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ કરશે. પરેડનું નેતૃત્વ પંજાબ અને હરિયાણાની મહિલાઓ કરશે. ખેડૂતોની સરકાર સાથે 8 જાન્યુઆરીએ વાતચીત થાય તેવી શ્ક્યતા છે.
ખેડુતોના આંદોલન પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી, જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે
વધુ જુઓ
મોરબી જિલ્લામાં ફરી એક મર્ડર: હળવદના ચુપણી ગામે આધેડની હત્યા
જમીનના ડખામાં કૌટુંબિક ભાઈએ જ કરી ભાઈની હત્યા
હળવદ: હળવદ તાલુકાના ચુંપણી ગામે સામાન્ય બોલચાલી બાદ કુટુંબી ભાઈએ જ છરી ઘા ઝીંકી ભાઈની હત્યા કરી હતી.
મળતી માહિતી મુજબ આજે સાંજના સમયે હળવદ તાલુકાના ચુંપણી ગામે જમીનમાં ચાલવા બાબતે વિવાદ કરતા બોલચાલી થઈ હતી ત્યારબાદ કુટુંબીભાઈએ છરીના ઘા ઝીંકી રામા મોહન...
“વૃક્ષ જતન, આબાદ વતન”નાં સૂત્ર ને સાર્થક કરતા જીવરાજભાઈ લિખિયા
આઝાદી મળ્યા પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું...
કિસાન આંદોલન: શું હું અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિને મળ્યો હતો? મમતા બેનર્જી સાથેની મુલાકાત અંગેના પ્રશ્નને લઈને રાકેશ ટિકૈત થયા લાલઘૂમ.
ત્રણ કેન્દ્રીય કાયદા પાછા ખેંચવાની માંગ સાથે ખેડૂતોનો વિરોધ છ મહિના પછી પણ ચાલુ છે. આ દરમિયાન ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે બુધવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક અંગે પ્રશ્નો ઉઠવા એ સામાન્ય વાત કહી શકાય, જેના પર ખેડૂત નેતા રાકેશ...