મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને થાણે મહાનગરપાલિકાએ 9 માર્ચથી 31 માર્ચ દરમિયાન હોટ સ્પોટ વિસ્તારોમાં લોકડાઉન લાગુ કર્યું છે. આ માટે થાણેના હોટ સ્પોટ વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે.મહારાષ્ટ્ર સરકાર દ્વારા “મિશન સ્ટાર્ટ અગેન” અંતર્ગત કેટલીક છૂટ પણ આપવામાં આવી છે. આ સમય દરમિયાન હોટસ્પોટની બહારના વિસ્તારોમાં કેટલીક પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે. જણાવી દઈએ કે દેશવ્યાપી લોકડાઉન દરમિયાન લાદવામાં આવેલા પ્રતિબંધો પહેલાની જેમ અમલમાં રહેશે. છેલ્લા કેટલાક દિવસોથી 10,000 થી વધુ નવા કોરોનોવાયરસ કેસ નોંધાયા પછી, મહારાષ્ટ્રમાં સોમવારે 8,744 નવા ચેપના કેસ નોંધાયા હતા. 22 લોકોના મોત બાદ મૃત્યુની સંખ્યા વધીને 52,500 થઈ ગઈ હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 15,388 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 1,12,44,786 પર પહોંચી ગઈ છે. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા, 87,462 છે જ્યારે 1,08,99,394 દર્દીઓને સારવાર આપ્યા બાદ તંદુરસ્ત મળી આવતા તેઓને હોસ્પિટલમાંથી ઘરે મોકલી દેવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધી 2,30,08,733 લોકોને કોરોના રસી આપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, કુલ 22,27,16,796 લોકોના સેમ્પલ ટેસ્ટ થઇ ચુક્યા છે.
મહારાષ્ટ્રના થાણેમાં કોરોનાનો કહેર, 16 હોટસ્પોટ વિસ્તારોમાં આ તારીખ સુધી લોકડાઉન.
વધુ જુઓ
મુંબઈમાં બિલ્ડિંગ ધરાશાયી: મલાડમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં 11 લોકોનાં મોત, મકાન માલિક અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધવામાં આવશે
બુધવારે મોડી રાત્રે મુંબઈના મલાડ વેસ્ટમાં એક મોટો અકસ્માત થયો હતો. અહીં ન્યૂ કલેક્ટર કમ્પાઉન્ડમાં ચાર માળની ઇમારત ધરાશાયી થઈ હતી. ૧૧ લોકો માર્યા ગયા હતા જ્યારે અન્ય ૭ ઘાયલ થયા હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓછામાં ઓછા 18...
મુંબઈમાં ચોમાસાનું આગમન, રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતા મુંબઇ લોકલ ટ્રેન સેવાઓ સ્થગિત
દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અસર એક દિવસ પહેલા બુધવારે મુંબઈમાં જોવા મળી હતી. હવામાન વિભાગ (આઇએમડી) દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે. દેશની નાણાકીય રાજધાની અને ઉપનગરોમાં સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ જાણ થઈ છે. આનાથી સ્થાનિક ટ્રેન સેવાઓને પણ અસર થઈ છે....
કોરોનામાં મંદીનો માર : મુંબઈની 5 સ્ટાર હોટલ હયાત રિજેંસી બંધ, કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પણ ફંડ નહીં
મુંબઇની પ્રખ્યાત ફાઇવ સ્ટાર હોટલ હયાત રિજેંસીને બંધ કરવાનો વારો આવ્યો છે. હોટલ પ્રશાસને જણાવ્યું હતું કે ફંડના અભાવને કારણે તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોટલ અધિકારીઓએ જણાવ્યું હતું કે કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પણ તેમની પાસે પૈસા નથી. મુંબઈ એરપોર્ટની નજીક આવેલી, હયાત રિજેંસી એશિયન હોટેલ્સ...