Friday, March 29, 2024

IPL 2021 ની જેમ આ 6 શહેરોમાં T20 વર્લ્ડ કપ રમાઈ શકે છે, BCCI કરી રહી છે યોજના.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

આઇસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર છે. ભારતીય ક્રિકેટ બોર્ડ અથવા બીસીસીઆઈ ટૂંક સમયમાં આ ટૂર્નામેન્ટની તૈયારીઓ શરૂ કરશે. એવું માનવામાં આવે છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 14 મી સિઝન માટે જે 6 શહેરોને પસંદ કરાયેલ છે તે જ શહેરોમાં ટી 20 વર્લ્ડ કપ યોજાઈ શકે છે, કારણ કે કોરોના વાયરસ રોગચાળાને કારણે ઓછા શહેરોને તેની મેજબાની કરવાનો મોકો મળશે. સમજી શકાય છે કે બીસીસીઆઈ દ્વારા શરૂઆતમાં આઠ શહેરોમાં ઇવેન્ટ યોજવા માટે વિચાર કરાયો હતો, આઇસીસીની ઇચ્છાથી વધુ શહેર બીસીસીઆઈ શોર્ટલિસ્ટ કરવાની હતી જો કે, કોરોના વાયરસને કારણે હાલની પરિસ્થિતિએ બીસીસીઆઈને પુનર્વિચારણા કરવાની ફરજ પડી છે, કારણ કે બીસીસીઆઈ મુસાફરીની મુશ્કેલીઓને ટાળવા માટે ઓછામાં ઓછા શહેરોમાં ટૂર્નામેન્ટ્સ યોજવાનું વિચારી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, શરૂઆતમાં બીસીસીઆઈએ ટી -20 વર્લ્ડ કપ માટે મુંબઇ, અમદાવાદ, ચેન્નઈ, દિલ્હી, કોલકાતા, બેંગલુરુ, મોહાલી અને ધર્મશાળાને શોર્ટલિસ્ટ કર્યા, પરંતુ હવે ધર્મશાળા અને મોહાલીને આ યાદીમાંથી બાકાત રાખવામાં આવી શકે એમ છે. જો કે, આ બંને શહેરોમાં પહેલા રાઉન્ડની મેચ હોઈ શકે છે, જેમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવી ટીમો રમવાની છે. 6 સ્થળોમાંથી ચેન્નાઈ અને બેંગ્લુરુમાં સેમિફાઇનલ મેચ અને અમદાવાદમાં ફાઇનલ મેચનું આયોજન થઈ શકે છે. 2016 માં મુંબઇ, દિલ્હી અને કોલકાતાને નોકઆઉટ મેચ મળ્યો હતો. આવી સ્થિતિમાં આ શહેરોને નોકઆઉટ મેચમાંથી બાકાત રાખવામાં આવશે, પરંતુ મુંબઇના વાનખેડે સ્ટેડિયમ અને કોલકાતાના ઇડન ગાર્ડન્સના મહત્વને કારણે નોકઆઉટનો નિર્ણય હજી લેવામાં આવશે નહીં. આઈપીએલ 2021 નોકઆઉટ મેચ અમદાવાદમાં યોજાશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર