Tuesday, May 26, 2026

પહેલાં ખેડુતોને કાજુની મીઠાઇ અને શાહી પનીર મળતા હતા, અને હવે માત્ર આ વસ્તુથી પેટ ભરે છે પ્રદર્શનકારીઓ.

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ચલાવવામાં આવતા વિરોધ પ્રદર્શન હવે ઠંડા પડતા જોવા મળી રહ્યા છે. સરકાર સાથે વાતચીત બંધ થયા પછી દિલ્હીની સરહદો પર પ્રદર્શનસ્થળ લગભગ ખાલી જોવા મળી રહ્યા છે. મોટાભાગના લોકો તેમના ઘરે પરત ફર્યા છે અને જેઓ ત્યાં છે તેઓ પણ રવાના થવાની તૈયારી કરી રહ્યા છે. લંગરમાં લાગતી લાઇન પણ સમાપ્ત થતી દેખાઈ આવે છે. કેન્દ્ર સરકારે કૃષિ કાયદામાં સુધારો કરવાની અને તેને મુલતવી રાખીને સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, પરંતુ સંયુક્ત કિસાન મોરચાના નેતાઓ કાયદાઓને રદ કરવા પર મક્કમ છે, જેના કારણે વિરોધ પ્રદર્શન થઇ રહ્યો છે. વિરોધ માટે મોરચાના આગેવાનો ચક્કા જામ, રેલ સ્ટોપ, એક્સપ્રેસ વે બંધ સહિતની વિવિધ કવાયત હાથ ધરી રહ્યા છે. એક દિવસ અગાઉ 24 કલાક એક્સપ્રેસ વે બંધ કરવો એ આવા જ પ્રકારની એક કવાયત હતી, પરંતુ લોકોની સહભાગીદારીના અભાવથી સ્પષ્ટ થઈ ગયું છે કે મોરચાના નેતાઓ એકલા થઈ ગયા છે.કુંડલી બોર્ડર પર પ્રદર્શન 136 મા દિવસમાં પ્રવેશ્યુ છે, પરંતુ વિરોધીઓનો કાફલો ઘટી ગયો છે. કુંડલી બોર્ડરના ગામથી લઇ રસોડા સુધી ટ્રેક્ટર-ટ્રોલીઓ અને 20-25 હજાર લોકોની ભીડ ઘટાડી દેવામાં આવી છે. શરૂઆતના દિવસોમાં કુંડલી, સિંઘુ અને ટીક્રી બોર્ડર, યુપી ગેટનાં ધરણા સ્થળોએ પ્રારંભિક દિવસોમાં નેતાઓ દ્વારા કાજુ, બદામ, પિસ્તા, દેશી ઘીથી બનેલી મીઠાઇનું વિતરણ કરાયું હતું. પિઝા,બર્ગર, ચાટ, રસગુલ્લા, ખીર, દૂધ-જલેબી ખવડાવવામાં આવતા.પનીર, શાહી પનીર, સ્પિનચ પનીર, મિક્સ વેજ, રોટી, તવા રોટી, તંદૂરી રોટલી ખવડાવવામાં આવી હતી. 24 કલાક ચા -પાણીની વ્યવસ્થા હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પ્રદર્શનકારીઓ રોટલી અને શાકથી પેટ ભરી રહ્યા છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img