પંજાબમાં ૩૨ ખેડૂત સંગઠનોએ લોકડાઉનના વિરોધમાં ૮ મેના રોજ પંજાબભરમાં બજારો ખોલવાનો નિર્ણય લીધો છે. ખેડૂતોએ વેપારીઓ અને સામાન્ય લોકોને ૮ મેના રોજ બજાર ખોલવાની સાથે જ કામ કરવા હાકલ કરી છે. ખેડૂત સંગઠનોના નેતાઓએ જણાવ્યું હતું કે સરકાર લોકડાઉનના નામે સામાન્ય માણસને બરબાદ કરવા માંગે છે અને ખેડૂતો આ ઇરાદો પૂર્ણ થવા દેશે નહીં. ઉલ્લેખનીય છે કે આ સાથે 10 અને 12 મેના રોજ ફરી એકવાર દિલ્હી સરહદે ધરણા સ્થળો પર ખેડૂતો એકઠા થશે. પંજાબના ૩૨ ખેડૂત સંગઠનોની બુધવારે કુંડલી સરહદધરણા સ્થળ પર બેઠક મળી હતી. ખેડૂતોએ આંદોલનની આગામી વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી. બેઠક બાદ પત્રકારો સાથેની વાત કરતા ખેડૂત નેતાઓએ કહ્યું કે સરકાર ઓક્સિજન,બેડ, દવાઓ વગેરે જેવી આરોગ્ય સુવિધાઓ અને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ ખેડૂતોના ધરણાને કોરોના ફેલાવવાનું મુખ્ય કારણ ગણાવી રહી છે, પરંતુ અહીંના ખેડૂતો જરૂરી સાવચેતી રાખી રહ્યા છે. સરકારો તેમની નિષ્ફળતાઓને છુપાવવા અને લોકો વિરોધી નિર્ણયો લેવા માટે લોકડાઉન મૂકી રહી છે. જેને કારણે ખેડૂતો, મજૂરો, દુકાનદારો અને સામાન્ય નાગરિકોના જીવન પર મોટા પાયે અસર પડી છે. પંજાબમાં 32 ખેડૂત સંઘોનો નિર્ણય છે કે 8 મેના રોજ ખેડૂતો, મજૂરો અને દુકાનદારો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરીઆવશે અને લોકડાઉનનો વિરોધ કરશે. આ ઉપરાંત સંયુક્ત કિસાન મોરચાની ટૂંક સમયમાં દેશવ્યાપી આંદોલન માટે બેઠક થશે અને આંદોલન માટે વ્યૂહરચના ઘડશે. કુંડલી બોર્ડર ધરણા સ્થળ પર હાજર એક પણ ખેડૂતે અત્યાર સુધી કોરોના ટેસ્ટ કરાવ્યો નથી. વહીવટી તંત્ર સાથે ખેડૂતોના નેતાઓની બેઠકમાં અધિકારીઓએ ખેડૂતોને કોરોના ટેસ્ટ કરવાની અપીલ કરી હતી, પરંતુ તેની કોઈ અસર પણ જોવા મળી રહી નથી.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)