પંજાબમાં ૩૨ ખેડૂત સંગઠનોએ લોકડાઉનના વિરોધમાં ૮ મેના રોજ પંજાબભરમાં બજારો ખોલવાનો નિર્ણય લીધો છે. ખેડૂતોએ વેપારીઓ અને સામાન્ય લોકોને ૮ મેના રોજ બજાર ખોલવાની સાથે જ કામ કરવા હાકલ કરી છે. ખેડૂત સંગઠનોના નેતાઓએ જણાવ્યું હતું કે સરકાર લોકડાઉનના નામે સામાન્ય માણસને બરબાદ કરવા માંગે છે અને ખેડૂતો આ ઇરાદો પૂર્ણ થવા દેશે નહીં. ઉલ્લેખનીય છે કે આ સાથે 10 અને 12 મેના રોજ ફરી એકવાર દિલ્હી સરહદે ધરણા સ્થળો પર ખેડૂતો એકઠા થશે. પંજાબના ૩૨ ખેડૂત સંગઠનોની બુધવારે કુંડલી સરહદધરણા સ્થળ પર બેઠક મળી હતી. ખેડૂતોએ આંદોલનની આગામી વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી. બેઠક બાદ પત્રકારો સાથેની વાત કરતા ખેડૂત નેતાઓએ કહ્યું કે સરકાર ઓક્સિજન,બેડ, દવાઓ વગેરે જેવી આરોગ્ય સુવિધાઓ અને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ ખેડૂતોના ધરણાને કોરોના ફેલાવવાનું મુખ્ય કારણ ગણાવી રહી છે, પરંતુ અહીંના ખેડૂતો જરૂરી સાવચેતી રાખી રહ્યા છે. સરકારો તેમની નિષ્ફળતાઓને છુપાવવા અને લોકો વિરોધી નિર્ણયો લેવા માટે લોકડાઉન મૂકી રહી છે. જેને કારણે ખેડૂતો, મજૂરો, દુકાનદારો અને સામાન્ય નાગરિકોના જીવન પર મોટા પાયે અસર પડી છે. પંજાબમાં 32 ખેડૂત સંઘોનો નિર્ણય છે કે 8 મેના રોજ ખેડૂતો, મજૂરો અને દુકાનદારો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરીઆવશે અને લોકડાઉનનો વિરોધ કરશે. આ ઉપરાંત સંયુક્ત કિસાન મોરચાની ટૂંક સમયમાં દેશવ્યાપી આંદોલન માટે બેઠક થશે અને આંદોલન માટે વ્યૂહરચના ઘડશે. કુંડલી બોર્ડર ધરણા સ્થળ પર હાજર એક પણ ખેડૂતે અત્યાર સુધી કોરોના ટેસ્ટ કરાવ્યો નથી. વહીવટી તંત્ર સાથે ખેડૂતોના નેતાઓની બેઠકમાં અધિકારીઓએ ખેડૂતોને કોરોના ટેસ્ટ કરવાની અપીલ કરી હતી, પરંતુ તેની કોઈ અસર પણ જોવા મળી રહી નથી.
લોકડાઉનના વિરોધમાં આવ્યા ખેડૂત સંગઠનો, 8 મેના રોજ પંજાબમાં તમામ બજારો ખોલવાની હાકલ કરી.
વધુ જુઓ
મોરબી જિલ્લામાં ફરી એક મર્ડર: હળવદના ચુપણી ગામે આધેડની હત્યા
જમીનના ડખામાં કૌટુંબિક ભાઈએ જ કરી ભાઈની હત્યા
હળવદ: હળવદ તાલુકાના ચુંપણી ગામે સામાન્ય બોલચાલી બાદ કુટુંબી ભાઈએ જ છરી ઘા ઝીંકી ભાઈની હત્યા કરી હતી.
મળતી માહિતી મુજબ આજે સાંજના સમયે હળવદ તાલુકાના ચુંપણી ગામે જમીનમાં ચાલવા બાબતે વિવાદ કરતા બોલચાલી થઈ હતી ત્યારબાદ કુટુંબીભાઈએ છરીના ઘા ઝીંકી રામા મોહન...
“વૃક્ષ જતન, આબાદ વતન”નાં સૂત્ર ને સાર્થક કરતા જીવરાજભાઈ લિખિયા
આઝાદી મળ્યા પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું...
કિસાન આંદોલન: શું હું અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિને મળ્યો હતો? મમતા બેનર્જી સાથેની મુલાકાત અંગેના પ્રશ્નને લઈને રાકેશ ટિકૈત થયા લાલઘૂમ.
ત્રણ કેન્દ્રીય કાયદા પાછા ખેંચવાની માંગ સાથે ખેડૂતોનો વિરોધ છ મહિના પછી પણ ચાલુ છે. આ દરમિયાન ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે બુધવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક અંગે પ્રશ્નો ઉઠવા એ સામાન્ય વાત કહી શકાય, જેના પર ખેડૂત નેતા રાકેશ...