Monday, May 29, 2023

ભારતીય ટીમ માટે ખુશખબર, ઇંગ્લેન્ડનો આ તૂફાની બોલર વનડે શ્રેણીમાં નહીં રમે ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_img
spot_img

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) એ શનિવારે અમદાવાદમાં ટી -20 શ્રેણી બાદ ભારત સામેની વનડે સિરીઝ માટે ટીમના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ભારતમાં રોકાશે કે નહીં તે ટૂંક સમયમાં નિર્ણય લેવાનો છે. ઇસીબી તૂફાની બોલર જોફ્રા આર્ચરને આરામ આપવા માંગે છે, કારણ કે ઇંગ્લેન્ડની ટીમે આ વર્ષે ટી -20 વર્લ્ડ કપ સહિત અનેક મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ્સ રમવાની છે. જો કે, 25 વર્ષીય જોફ્રા આર્ચરને કોણીમાં ઈજા થઈ હતી અને તેને પાંચ મેચની ટી -20 શ્રેણીની પ્રથમ ચાર મેચમાં કોઈ પરેશાની થઇ નથી. આ ટી 20 શ્રેણીમાં જોફ્રા આર્ચર સૌથી વધુ વિકેટ લેનાર છે. ઇંગ્લેન્ડની મેનેજમેન્ટ ટીમ ઇચ્છે છે કે તેઓ બિનજરૂરી રીતે ક્રિકેટ ન રમે, કારણ કે આ વર્ષે ઇંગ્લેન્ડને ટી 20 વર્લ્ડ કપ અને એશેજ શ્રેણી જેવી મોટી સ્પર્ધાઓ રમવાની છે. તેથી જ તેમને આરામ આપવામાં આવી શકે છે. ઇંગ્લેન્ડ પાસે ઝડપી બોલરો માટે સારા વિકલ્પો છે, કારણ કે ટીમમાં મેટ પાર્કિન્સન અને જેક જેવા બે રિઝર્વ ખેલાડીઓ છે. તે જ સમયે, ક્રિસ વોક્સ પણ ટીમમાં સામેલ થઈ શકે છે, પરંતુ જો રૂટની જેમ તેને પણ આરામ આપવામાં આવી શકે તેમ છે. કારણ કે તે ઇંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટ પણ રમે છે. જોફ્રા આર્ચર વર્લ્ડ કપ 2019 થી ટીમ માટે સતત ક્રિકેટ રમી રહ્યો છે. એક અહેવાલ મુજબ આર્ચરને આરામ આપ્યો હોવાનો દાવો છે. 23 માર્ચે પુણેમાં શરૂ થનારી વનડે સિરીઝ માટે ભારતીય ટીમની ઘોષણા કરવામાં આવી છે અને એવું માનવામાં આવે છે કે શનિવાર કે રવિવારે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ પણ વનડે ટીમની ઘોષણા કરી શકે છે, કેમ કે શ્રેણી શરૂ થવામાં વધારે સમય નથી. જો જોફ્રા આર્ચર ઇંગ્લેન્ડ તરફથી વનડે સિરીઝ નહીં રમે તો ભારતીય ટીમને તેનો ફાયદો મળી શકે છે, કારણ કે તેઓ ભારતના બેટ્સમેનોને ભારે સતાવે છે, જ્યારે અંતે તે લાંબા શોટ મારવા માટે પણ જાણીતા છે.

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર