કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ આજે કેરળમાં ટ્રેક્ટર રેલી કાઢી હતી. રાહુલ ગાંધી આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે કેરળ અને તામિલનાડુના ત્રણ દિવસીય પ્રવાસ પર છે. આ પ્રવાસના પહેલા દિવસે રાહુલે ખેડુતોના સમર્થનમાં ટ્રેક્ટર રેલી કાઢી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ જાતે ટ્રેક્ટર ચલાવ્યું હતું. આ સમય દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેમણે ખેડૂત આંદોલન વિશે કહ્યું હતું કે, આખું વિશ્વ ભારતીય ખેડૂતોને પડતી મુશ્કેલીઓ જોઈ શકે છે, પરંતુ દિલ્હીમાં બેઠેલી સરકાર ખેડૂતોના દર્દને સમજવામાં અસમર્થ છે. તેમણે કહ્યું કે અમારી પાસે પૉપ સ્ટાર્સ છે જે ખેડૂતોની સ્થિતિ અંગે ટિપ્પણી કરી રહ્યા છે, પરંતુ ભારત સરકાર તેમાં રસ નથી લઇ રહી. રાહુલ ગાંધીએ નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે જ્યા સુધી તે મજબુર નહિ બને ત્યાં સુધી તે આ ત્રણ નવા કૃષિ કાયદા પાછા નહિ લે. કારણ એ છે કે આ 3 કાયદા ભારતની કૃષિ પ્રણાલીને નષ્ટ કરવા અને પીએમ નરેન્દ્ર મોદીના 2-3 મિત્રોને સંપૂર્ણ વ્યવસાય આપવા માટે બનાવવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે કૃષિ એકમાત્ર વ્યવસાય છે જે ભારત માતાનો છે. દરેક અન્ય વ્યવસાય કોઈકનો હોય છે. કેટલાક લોકો આ વ્યવસાયનો માલિકી ધરાવવા માંગે છે અને આ ત્રણ કૃષિ કાયદા ભારતીય કૃષિને નિયંત્રણમાં રાખવા અને ખેડૂતોને નિયંત્રણમાં રાખવા માટે 2-3- લોકો માટે બનાવવામાં આવ્યા છે
કેરળમાં ખેડુતોના સમર્થનમાં રાહુલ ગાંધીએ ટ્રેક્ટર રેલી કાઢી, મોદી સરકારને લીધી આડે હાથ.
વધુ જુઓ
મોરબી જિલ્લામાં ફરી એક મર્ડર: હળવદના ચુપણી ગામે આધેડની હત્યા
જમીનના ડખામાં કૌટુંબિક ભાઈએ જ કરી ભાઈની હત્યા
હળવદ: હળવદ તાલુકાના ચુંપણી ગામે સામાન્ય બોલચાલી બાદ કુટુંબી ભાઈએ જ છરી ઘા ઝીંકી ભાઈની હત્યા કરી હતી.
મળતી માહિતી મુજબ આજે સાંજના સમયે હળવદ તાલુકાના ચુંપણી ગામે જમીનમાં ચાલવા બાબતે વિવાદ કરતા બોલચાલી થઈ હતી ત્યારબાદ કુટુંબીભાઈએ છરીના ઘા ઝીંકી રામા મોહન...
“વૃક્ષ જતન, આબાદ વતન”નાં સૂત્ર ને સાર્થક કરતા જીવરાજભાઈ લિખિયા
આઝાદી મળ્યા પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું...
પાંચ રાજ્યોમાં ભૂંડી હાર બાદ કોંગ્રેસના આ દિગ્ગજ નેતા ભડક્યા
લગભગ 130 વર્ષના ઈતિહાસમાં કોંગ્રેસનુ કદાચ અત્યાર કરતા વધુ પતન ક્યારેય થયુ નથી.
તેમણે કહ્યું કે હવે ગાંધી પરિવારે કોંગ્રેસની નેતાગીરીનો ભાર છોડીને કોઈ અન્ય નેતાને જવાબદારી સોંપવી જોઈએ.કપિલ સિબ્બલે ગાંધી પરિવાર ઉપર હુમલો કરતાં કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે ‘ઘરની કોંગ્રેસ’ની જગ્યાએ ‘સૌની કોંગ્રેસ’ બને. તેમણે...